જામકંડોરણા: જામનગર-જૂનાગઢ હાઇવે પર વર્ષો જૂનો પુલ અચાનક ધરાશાયી થયો હતો જામકંડોરણાના સાતોદડ ગામ નજીક કોબેશ્વર મહાદેવ મંદિપસ પાસે આજે બપોરે બે વાગ્યાની આસપાસ આ પુલ ધરાશાયી થતા અનેક વાહનચાલકો અટવાયા હતા જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ ન સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને બંને સાઇડના રસ્તા બંધ કરાવ્યા હતા જેથી વાહચાલકો અજાણતામાં આ પુલ પરથી પસાર થાય નહીં
