મંદિરોમાં ઋતુ પ્રમાણે અનેક ધાર્મિક ઉત્સવો ઉજવાય છે જેમાં હિંડોળા ઉત્સવનું અનેરૂં મહાત્મય છે ભક્તો માટે હિંડોળા એટલે ભગવાનનાં સામીપ્યનો લહાવો સંતો-ભક્તો મૃદંગ, મંજીરા વગાડી હિંડોળાના કિર્તનો ગાઈ હિંડોળા ઉત્સવ ઉજવે છે ભગવાનને ઝુલાવવા માટે વિવિધ પદાર્થો વડે ભગવાનનાં હિંડોળા રચી ભગવાનને ઝુલાવાય છે
