મોતિયાના ઓપરેશન પછી ઈન્દોર આઈ હોસ્પિટલમાં 11 દર્દીઓએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી છે અમુક દર્દીઓને એક આંખમાં તો અમુક દર્દીઓને બંને આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું છે આ દરેક દર્દી 8 ઓગસ્ટે રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા તે જ દિવસે તેમના ઓપરેશન કરવામાં આવ્યા હતા બીજા દિવસે આંખોમાં દવા નાખ્યા પછી દર્દીઓને ઈન્ફેક્શન થયું હતું અને હોબાળો શરૂ થઈ ગયો હતો જ્યારે ડોક્ટર્સે તેમની આંખની તપાસ કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, અમને બધુ સફેદ દેખાય છે, જ્યારે અમુક લોકોએ કહ્યું કે, અમને માત્ર કાળુ દેખાય છે તપાસ પછી ડોક્ટર્સે સ્વીકાર્યું કે, ઈન્ફેક્શન થયું છે પરંતુ તે કયા કારણથી થયું છે તે વિશે ડોક્ટર્સ પણ કશુ કહી શકે તેમ નથી
