કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, અભિજીત બેનરજીને નોબેલ અવોર્ડ મળ્યો તે માટે શુભેચ્છા પાઠવું છું પરંતુ તેમની વિચારધારા વિશે તમે બધા જાણો છો તેમની વિચારધારા સંપૂર્ણ રીતે ડાબેરીઓ તરફી છે તેમણે ન્યાય યોજનાના બહુ ગુણગાન ગાયા હતા પરંતુ દેશની જનતાએ તેમની વિચારધારાને ફગાવી દીધી <br /> <br />મુંબઈમાં જન્મેલા બેનર્જી અમેરિકાના મૈસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ઈકોનોમિક્સના પ્રોફેસર છે તેમને અર્થશાસ્ત્રનું નોબેલ અવોર્ડ આપવાની જાહેરાત 14 ઓક્ટોબરે થઈ હતી બેનર્જીની પત્ની અસ્થર ડુફઅલો અને હાવર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર માઈકલ ક્રેમરને પણ આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે
