વડોદરાઃ પ્રકાશ પર્વ દીપાવલીની શહેરીજનો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે વાડી સ્વામીનારાયણ મંદિરમાં એકદંત રંગોળી કલાકાર ગૃપ દ્વારા ભારતના ચંદ્રયાન-2 મીશનને મળેલી સફળતાને કેન્દ્ર સ્થાને રાખીને 2400 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે <br />રંગોળી કલાકાર સમીરા વાગરાએ જણાવ્યું હતું કે, અમારું 16 કલાકારનું ગૃપ છે દીપાવલી પર્વ અને વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરમાં ઉજવાનાર દ્વિશતાબ્દિ મહોત્સવ નિમીત્તે રંગોળી બનાવવામાં આવી છે આ રંગોળી પ્રદર્શનમાં ભારતના વૈજ્ઞાનિકોને ચંદ્રયાન-2 મીશનમાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને 2400 ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી છે