અમદાવાદ:કાલુપુર ચોખા બજાર (સિન્ધી કોમર્શિયલ માર્કેટ)માં રાત્રે 27 દુકાન અને ઓફિસના તાળા તૂટ્યા હતા તસ્કરોએ અલગ અલગ દુકાનો અને ઓફિસમાંથી પૈસાની ચોરી કરીને ફરાર થયા હતા દુકાનના સટર ખુલ્લા હતા તેમજ ઓફિસમાં બધુ વિખેરાયેલું હતું અને કબાટો પણ ખુલ્લા હતા હાલ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે જોકે, ચોખા બજારમાં રાત્રિ દરમિયાન સિક્યોરિટી હોવા છતા 27 દુકાન અને ઓફિસના તાળા તૂંટતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે
