ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે સારવાર લઇ રહ્યા છે. જેમાં મેડિકલ એજ્યુકેશનની ગ્રાન્ટમાંથી 18 વર્ષ પહેલા બનેલ સાત માળની નવી હોસ્પિટલ બિલ્ડીંગ અત્યંત <br /> <br />જર્જરિત બની ગઈ છે. જેમાં હોસ્પિટલમાં હજારો દર્દીઓ દરરોજ સારવાર લેવા માટે આવતા હોય છે. તેવામાં નવા બિલ્ડીંગના પાંચમાં માળને ભયજનક ઘોષિત કરી ખાલી કરાવી દર્દીઓને <br /> <br />અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારબાદ સરકાર એક્શનમાં આવી કાર્યવાહી કરશે કે હોસ્પિટલના સતાધીશો <br /> <br />સમયસૂચકતા દાખવી રીપેરીંગનું કામ જલ્દીથી હાથ ધરશે, જોકે રીપેરીંગના નામે ચાર વર્ષ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે. પણ હજુ સુધી હોસ્પિટલના સતાધીશો કોઈ મોટી <br /> <br />દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.