ગીર સોમનાથમાં ગીર ગઢડાના વડવીયાળામાં સિંહ ગામમાં ઘુસી આવતા લોકોના ટોળાં ભેગા થયા હતા. જેમાં રાત્રીના દસેક વાગ્યાની આ ઘટના છે. તેમાં લોકો દ્વારા સિંહને ખદેડવા <br /> <br />હોકારો કરવામાં આવ્યો હતો. તથા અમુક લોકો દ્વારા સિંહ પર લાકડી વડે માર મારતા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ સિંહની પજવણી થતાં અંતે સિંહ નાસી ગયો હતો. અને વન <br /> <br />વિભાગને ઘટનાની જાણ થતાં ટીમ વડવીયાળા ગામે પહોંચી હતી. તેમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.