અમદાવાદમાં કોવિડ-19નો રોગચાળો ફરીથી માથું ઉંચકી રહ્યો છે અને અને કોરોનાના કેસમા દરરોજ વધારો થઈ રહ્યો છે. તા. 16 જૂન, 2022ના રોજ અમદાવાદમાં કોરોનાના નવા 114 <br /> <br />કેસ નોંધાયા છે. શહેરના બોડકદેવ, જોધપુર, થલતેજ, પાલડી, બોપલ, નવરંગપુરામાં કોરોનાના વધુ કેસો નોંધાયા છે. આમ, શહેરના પોશ ગણાતા પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનના <br /> <br />વિસ્તારોમાં કોરોનાના કેસો જોવા મળે છે અને આ મોટાભાગના કોરોનાના કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જોવા મળ્યું છે. પરપ્રાંતોમાં જઈને અમદાવાદમાં આવતા કે અન્ય શહેરોમાં જઈને <br /> <br />અમદાવાદ આવનાર લોકો કોરોના લઈને આવતા હોવાનું જોવા મળ્યું છે.