CM ભૂપેન્દ્ર પટેલે ઝઘડિયાના કાર્યક્રમમાં સંબોધન કર્યું છે. જેમાં 66 કે.વી.વણાકપોર તથા અન્ય 3 સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે. તેમજ ભરૂચ જિલ્લાને વિકાસના કામોની ભેટ આપવામાં <br /> <br />આવી છે. જેમાં વીજળીની સમસ્યા ભૂતકાળ બનશે તેમ જણાવતા CMએ જણાવ્યું છે કે PM મોદીએ વિકાસનો પાયો નાખ્યો છે. તથા વિકાસ કામોનો લાભ છેવાડા માનવી સુધી <br /> <br />પહોંચાડાઈ રહ્યો છે. <br /> <br />CM ભૂપેન્દ્ર પટેલે ઝઘડિયાના કાર્યક્રમમાં સંબોધન કર્યું <br /> <br />તેમજ રાજ્યમાં પૂરતી ઉર્જા આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તથા દરેક ક્ષેત્રોનો વિકાસ કરવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યના દરેક ગામડામાં 24 કલાક વીજળી મળી રહી છે. <br /> <br />તથા દર વર્ષે રાજ્યમાં 78 સબ સ્ટેશન બને છે. અને આદિવાસી વિસ્તારોમાં 500 જેટલા મોબાઈલ ટાવર ઉભા કરાશે. તથા જીવનના દરેક ક્ષણમાં આજે ઉર્જાની જરૂર છે. જેમાં શિક્ષણ, <br /> <br />ખેતી, ઉદ્યોગો વગેરેમાં ઉર્જાની જરૂર પડે છે. <br /> <br />66 કે.વી.વણાકપોર તથા અન્ય 3 સબ સ્ટેશનનું લોકાર્પણ <br /> <br />ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર તેના માટે કટિબદ્ધ છે. તેમજ રિનયુએબલ એનર્જી 2002માં 99 મેગાવોટ હતી જે આજે 16500 મેગાવોટ છે. પહેલા આદિવાસી વિસ્તારમાં 3 સબ સ્ટેશન <br /> <br />હતા જ્યાં આજે 588 સબ સ્ટેશનો છે. દેશના ગ્રોથ એન્જિન સમા ગુજરાતે 78 સબસ્ટેશનો દર વર્ષે બને છે. જે અગાઉ દર વર્ષે 16 જ બનતા હતા. આજે છેવાડાના ગામ સુધી સરકારી અને <br /> <br />ખાનગી હોસ્પિટલ બન્યા છે. તથા જે વીજળી ક્ષેત્રે સિદ્ધિઓના કારણે છે. તેમજ ભારતના નિર્માણમાં ગુજરાત એનર્જિ સેકટરમાં વિકાસના અજવાળાં પાથરવા કાર્ય કરતું રહેશે.