અમદાવાદમાં રથાયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં અમદાવાદમાં બે વર્ષ બાદ નાથની ધામધૂમથી રથાયાત્રા નીકળશે. તેમાં આજે રથયાત્રાના રૂટ પર પોલીસ કમિશનર તથા <br /> <br />ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રૂટનું નિરીક્ષણ કર્યું છે. <br /> <br />પેરામોટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ <br /> <br />ઉલ્લેખનીય છે કે રથયાત્રામાં કાયદો વ્યવસ્થા અંગે પોલીસ દ્વારા ખાસ આયોજન કરાયુ છે. પહેલીવાર પેરામોટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરવામા આવનાર છે. આ <br /> <br />વખતે હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં <br /> <br />રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવાયા છે. <br /> <br />બે વર્ષ બાદ નાથની નીકળશે ધામધૂમથી રથાયાત્રા <br /> <br />અમદાવાદમાં ચાલુ વર્ષે અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં પહેલીવાર અયોધ્યામાં તૈયાર થનાર ભવ્ય રામમંદિરની ઝલક દર્શાવતો ટેબ્લો રજૂ <br /> <br />કરવામાં આવશે. તેમજ ભવ્ય રામમંદિર તેમજ જમાલપુર જગન્નાથ મંદિરની પણ ઝાંખી કરાવતી ટ્રક જોડાશે. આ ઉપરાંત અમરનાથ યાત્રાનું ટેબ્લો પણ રજૂ કરાશે. રામ મંદિરનું શિખર <br /> <br />તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ચાંદીની જે ઇટો મૂકવામાં આવી હતી તેવી પ્રતિકૃતિ દર્શાવતી ટ્રક રથયાત્રામાં જોડાશે. ભગવાન <br /> <br />જગન્નાથની રથયાત્રા માટે રૂ. 1.50 કરોડનો વીમો લેવામાં આવશે. ભગવાન જગન્નાથની મંદિરમાં ત્રણ દિવસના ઉત્સવ અને રથયાત્રમાં ભાગ લેનાર લોકો માટે માસ્ક પહેરવા જરૂરી છે. <br /> <br />નાસિક, ઉજ્જૈન, અયોધ્યા, હરદ્વાર, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2 હજાર જેટલા સાધુસંતો રથપાત્રમાં જાડાશે.