પંચમહાલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે અદભુત નજારો સર્જાયો છે. જેમાં રાતના સમયે લાઈટિંગ અને વાદળોના સમન્વયને કારણે અદભુત દૃશ્ય જોવા મળ્યું હતું. તેમાં <br />પાવાગઢ ખાતે માતાજીના નિજ મંદિરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વીડિયોમાં માતાજીનું મંદિર ગુલાબી વાદળો વચ્ચે ઢંકાઈ ગયું હોય તેવું દૃશ્ય જોવા મળ્યું છે. <br /> <br />પાવાગઢના અદભુત નજારાના આ વીડિયોમાં મંદિર નવીનીકરણ બાદનો રાત્રિ દરમ્યાનનો અતિ ભવ્ય નજારો કહી શકાય તેવો વીડિયો છે. જેમાં પાવાગઢ મંદીર પરિસર સ્વર્ગ સમાન <br /> <br />અનુભૂતિ કરાવે છે. મંદિર પરિસરમાં રાત્રી દરમ્યાન કરેલ લાઈટ અને કુદરતી ધૂમ્મસ ભેગા થતા નજારો એકદમ આહ્લાદક લાગી રહ્યો છે. જાણે ધરતી પર સ્વર્ગ હોય એ પ્રકારનો આભાસ <br /> <br />કરાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે