આવતીકાલે 1 જુલાઈના રોજ અમદાવાદ ખાતે 145મી ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. એવામાં પ્રથમ વખત કોંગ્રેસના નેતાઓ <br /> <br />રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચ્યા છે. <br /> <br />આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રથયાત્રાના એક દિવસ પહેલા વિપક્ષના અગ્રણીઓ રથની પૂજા કરતાં હોય છે. જો કે આ વખતે પ્રથમ વખત કોંગ્રેસના નેતાઓ પગપાળા જગન્નાથ મંદિરે <br /> <br />પહોંચ્યા હતા. આ વખતે 145મી રથયાત્રા નિમિત્તે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથને 145 કિલોનો લાડુ અર્પણ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ રઘુ શર્મા અને <br /> <br />પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસ અગ્રણીએ સાફા પહેરીને જગન્નાથના મંદિરે પહોંચ્યા છે. <br /> <br />આ અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે ભગવાન જગન્નાથના ચરણોમાં સર્વે કોંગ્રેસજનો 145મીં રથયાત્રા નિમિત્તે 145 કિલોના લાડુનો પ્રસાદ ધરાવીને પ્રાર્થના કરીશું કે, ગુજરાતની <br /> <br />જનતાની જે તકલીફો છે, એમાંથી એમને મુક્તિ અપાવે અને સર્વેનું કલ્યાણ થાય. ગુજરાતની પ્રજા આજે મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, તેમાંથી પણ તેમને મુક્તિ <br /> <br />અપાવે અને ગુજરાતમાં પરિવર્તન થાય એવી પ્રાર્થના સાથે સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરીશું. <br /> <br />જણાવી દઈએ કે, ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા અમદાવાદમાં 1 જુલાઈએ શુક્રવારના રોજ નીકળશે. આ દરમિયાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ સાથે <br /> <br />ભગવાન નગર યાત્રા પર નીકળશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. જે બાદ આદિવાસી નૃત્ય અને રાસ ગરબાના કાર્યક્રમનું <br /> <br />આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે વિશિષ્ટ ખિચડનો ભોગ ભગવાનને ધરાવવામાં આવશે અને ભગવાનની આંખો પર બાંધવામાં આવેલી પટ્ટી ખોલવાની વિધિ કરવામાં આવશે. <br /> <br />ભગવાનની મંગળા આરતી સાથે જ હજારો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરશે. આરતી બાદ સવારે 5:45 કલાક ભગવાનને રથમાં બેસાડવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ <br /> <br />કરીને રથને ખુદ ખેંચીને ભગવાનની આ રથયાત્રાનો શુભારંભ કરાવે છે.