રાજ્યના 219 તાલુકામા છેલ્લા 24 કલાકમા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કોડીનારમા છ ઈંચ કરતા વધુ <br /> <br />વરસાદ નોંધાયો છે. તથા દ્વારકાના કલ્યાણપુરમાં છ ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ મહિસાગરના કડાણામાં છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. <br /> <br />કુલ 8 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ <br /> <br />ઉલ્લેખનીય છે કે કુલ 8 તાલુકામાં ચાર ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તેમજ ભાવનગરમા 42 મિ.મી., મહુવા 28, તળાજા 14, પાલિતાણા 5 મિ.મી., વલભીપુર, ગારિયાધાર, સિહોર, <br /> <br />ઘોઘામા ધીમીધારે કાચુ સોનુ વરસ્યુ હતુ. એક માત્ર ઉમરાળામા વિરામ રહ્યો હતો. <br /> <br />ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી <br /> <br />તળાજાના બોરડા, બગદાણા સહિતના ગામોમા અગાઉ ધોધમાર વરસાદના પગલે જળ બંબાકાર સર્જાયો હતો. બોરડામા ફરી વખત ધોધમાર વરસાદ ખાબકતા લોકોના જીવ તાળવે ચોંટયા <br /> <br />હતા. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમા આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.