દ્વારકામાં 48 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યા બાદ આજે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારે મંગળા આરતી વખતે એક તરફ ભાવિકો ભગવાન દ્વારકાધીશની ભક્તિ કરતા હતા. <br /> <br />એવા વખતે મેઘરાજાએ ગાજવીજ સાથે મંદિર ઉપર જલાભિષેક કર્યો હતો. જેમાં દ્વારકામાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અહીંના દરિયાકાંઠાના પર્યટન સ્થળો ઉપર <br /> <br />ભાવિકોને ન જવા માટે સાવઘ કરાયા છે. તેમજ દેવભૂમિ દ્વારકાના ઇન્દ્રોઈ કેનેડી સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. તથા 10 કિલોમીટર દૂર આવેલા વાંછુ ગામમાં <br /> <br />નવ ઇંચ વરસાદ પડ્યો છે.