જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેડૂતોની માથે મોત જબુક્યું છે. જેમાં કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂતોના ખેતરોમાં જેટકો કંપનીની 220 કેવી લાઇનનો વીજપોલ <br /> <br />ધરાશયી થયો છે. છેલ્લા એક મહિનાથી આ વીજપોલ ધરાશયી થવા છતા એક પણ અધિકારી વીજપોલના રિપેરીંગ માટે આવ્યા નથી. <br /> <br />કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો ખેતરમાં જઇ શકતા નથી <br /> <br />જેટકો કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઇ શકતા નથી. તથા વીજલાઇન ચાલુ હોવાને કારણે ખેડૂતો ન તો ખેતરમાં પાણી વાળવા જઇ શકતા કે ન તો દવાનો છંટકાવ <br /> <br />કે ન તો નિંદામણ કરવા જઈ શકતા નથી. ગત સપ્તાહે સારો વરસાદ થવાને કરણે ખેડૂતોને વાવેતરમાં ફાયદો થયો અને ત્યારબાદ વરાપ નીકળતા ખેતરમાં નિંદામણ, દવાનો છંટકાવ <br /> <br />સહિતની કામગીરી કરવાની હોય છે પરંતુ વીજલાઇન ત્યાંથી પસાર થતી હોવાથી અને વીજપોલ ધરાશયી થયો હોવાથી ખેડૂતો પોતાના ખેતર જઇ શકતા નથી. <br /> <br />જેટકો કંપનીની 220 કેવી લાઇનનો વીજપોલ ધરાશયી <br /> <br />જેટકો કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ગામના આગેવાનોએ કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલને પણ રજુઆત કરી હતી. પણ તેમ છતાં પણ કોઈ <br /> <br />અધિકારી આજ સુધી આવ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે હવે અધિકારીઓ અમારા ફોન પણ રિસીવ નથી કરતા. જ્યારે અમારી ટીમે જેટકો કંપનીના અધિકારીનો કોન્ટેક્ટ કર્યો તો તેને ઉડાવ <br /> <br />જવાબ આપ્યા છે. આ વીજ વાયરને લીધે ખેડૂત કે તેના મજુરને કઈ થશે તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે.