Surprise Me!

હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુરત બનાવશે 1 કરોડ તિરંગા

2022-07-21 1,158 Dailymotion

હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુરતની એક મિલ 1 કરોડ તિરંગા બનાવશે. જેમાં અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 15 ઓગસ્ટે ભારતની આઝાદીને 75 વર્ષ પુરા થવાના છે <br /> <br />તેથી આ પ્રસંગે લોકોમાં દેશભક્તિની ભાવના જગાવાવા માટે મોદી સરકારે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. તેમાં હર ઘર તિરંગા અભિયાન દરમિયાન લોકોએ પોતાના ઘરો પર તિરંગો <br /> <br />લહેરાવીને દેશભક્તિનો પરિચય આપવાનો રહેશે. જેમાં અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. <br /> <br />ઉલ્લેખનીય છે કે સુરતના એક કપડાં ઉત્પાદકને એક કરોડ જેટલા તિરંગા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેનું ઉત્પાદન પણ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આગામી <br /> <br />10 ઓગસ્ટ સુધી આ તમામ તિરંગા તૈયાર કરી દેવામાં આવશે. સુરતની આ મિલમાં બનાવવામાં આવી રહેલ તિરંગા સમગ્ર દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવશે. <br /> <br />આગામી 10 ઓગસ્ટ પહેલા અહીં ઉત્પાદિત થયેલા તિરંગા દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ભાજપના મોટા નેતાઓ અને મોવડી મંડળ <br /> <br />તેમજ કાર્યકર્તાઓ દ્વારા હાલ પહેરવામાં આવતી ભાજપની ટોપીનું ઉત્પાદન પણ આ જ કપડાં ઉત્પાદક દ્વારા કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon