Surprise Me!

લઠ્ઠાકાંડ: ભાવનગર, બોટાદ, અમદાવાદ સિવિલમાં દર્દીઓ દાખલ

2022-07-26 982 Dailymotion

લઠ્ઠાકાંડ મુદ્દે સવારે 9 વાગ્યા સુધી 17 એમ્બ્યુલન્સ દોડાવી છે. જેમાં 9 વાગ્યા સુધીમાં એમ્બ્યુલન્સ દ્વારા 85 લોકોને રીફર કરાયા છે. તેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ સિવિલમાં દર્દીઓ <br /> <br />દાખલ કરાયા છે. જેમાં રાત્રિ દરમિયાન એમ્બ્યુલન્સ સતત દોડતી રહી છે. <br /> <br />ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડના દર્દીઓમાં વધુ એક સમસ્યા જોવા મળી છે. જેમાં કેટલાક દર્દીઓના આંખોની રોશની નબળી પડી છે. તેમાં અત્યાર સુધી 57 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ <br /> <br />છે. તેમજ ભાવનગરમાં 10 દર્દીઓના મોત નિપજ્યા છે. તથા ભાવનગરમાં વધુ 2 દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમાં ભાવનગરમાં હવે અંતિ ગંભીર <br /> <br />લોકોને રીફર કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણા દર્દીઓની આંખોની રોશની ગાયબ થઇ છે. <br /> <br />રાત્રિ દરમિયાન સતત દોડતી રહી એમ્બ્યુલન્સ <br /> <br />તેમજ અમદાવાદ સિવિલમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં લઠ્ઠાકાંડના દર્દીઓ છે તે વોર્ડ બહાર સિક્યોરિટીનો ખડકલો જોવા મળ્યો છે. તેમાં C7 વોર્ડ બહાર <br /> <br />સિક્યોરિટી ગાર્ડ ખડકી દેવાયા છે. તથા ડોકટર અને સ્ટાફ સિવાય તમામને અંદર જવા માટે મનાઈ છે. તેમજ સરકારના આદેશ બાદ બંદોબસ્ત વધારી દેવાયો છે. તથા મીડિયાને પણ વોર્ડ <br /> <br />બહાર જવા પર પ્રતિબંધ છે.

Buy Now on CodeCanyon