સુરતમાં આજે લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરાશે. જેમાં એક સાથે 7 જગ્યાએ લીકેજ રિપેરિંગ કામગીરી કરાશે. તથા આજે શહેરના 80 ટકા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળે. જેમાં <br />કામગીરી માટે પાંચ એજન્સીને જવાબદારી સોંપાઈ છે. <br /> <br />સુરતમાં આજે લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરાશે <br /> <br />જેમાં સુરતમાં આજે એકસાથે સાત જગ્યાએ લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરાશે. તેથી આજે શહેરના 80 ટકા વિસ્તારમાં પીવાનું પાણી આવશે નહી. તેમજ અડાજણ, પાલ, પાલનપોર, <br /> <br />અમરોલી, મોટા વરાછા, અબ્રામામાં પાણી મળશે. તેમાં આ કામગીરી માટે અલગ અલગ પાંચ એજન્સીને જવાબારી સોંપવામાં આવી છે. આજે બુધવારે અને કેટલાક વિસ્તારમાં ગુરુવારે <br /> <br />પીવાનું પાણી નહી આવે. રાંદેર ઝોનને બાદ કરતા શહેરના લગભગ દરેક વિસ્તારમાં પીવાના પાણીનો કાપ રહેશે. <br /> <br />એક સાથે 7 જગ્યાએ લીકેજ રિપેરિંગ કામગીરી કરાશે <br /> <br />પાલિકાના હાઇડ્રોલિક વિભાગની પાંચ અને હેડ વોટર વર્ક્સ વિભાગની ત્રણ ટીમ મળી કુલ 80થી 100 વ્યક્તિઓ સાત જગ્યાએ કામગીરી શરૂ કરશે. આ કામગીરી માટે અલગ અલગ પાંચ <br /> <br />એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉધના મેઇન રોડ પર ખરવરનગર નજીક સવેરા કોમ્પ્લેકસ પાસેથી પસાર થતી 1524 મિમી વ્યાસની લાઇનમાં લીકેજ કામગીરી હાથ ધરવામાં <br /> <br />આવશે. અઠવા ઝોનમાં વેસુ જળ વિતરણ મથક એકથી જળ વિતરણ મથક બે સુધી જતી પાણીની લાઇનમાં જોડાણ કામગીરી હાથ ધરવામાં આવશે. કિન્નરી સિનેમા સામેથી પસાર થતી <br /> <br />પાણીની લાઇનમાથી કિન્નરી પમ્પિંગ સ્ટેશન જતી લાઇન પર વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. <br /> <br />કામગીરી માટે પાંચ એજન્સીને જવાબદારી સોંપાઈ <br /> <br />ઉમરવાડા જળ વિતરણ મથક ખાતે લાઇન લીકેજ કામગીરી કરવામાં આવશે. કતારગામ વોટર વર્ક્સ ખાતે વિવિધ કામગીરી માટે વોટર વર્ક્સ બંધ રાખવામાં આવશે. સરથાણા પ્લાન્ટ ખાતે <br /> <br />પણ વિવિધ કામગીરી કરવામાં આવશે જયારે મગોબ જળ વિતરણ મથક ખાતે 1619 મિમીની નવી લાઇન પર ફલામીટર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ તમામ કામગીરી <br /> <br />દરમિયાન પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે. સમગ્ર કોટ વિસ્તાર, અઠવાલાઇન્સ, ઉધના, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં બુધવારે બપોર બાદ પાણી મળશે નહીં. ગુરુવારે <br /> <br />સવારે પણ પાણી પુરવઠો અવરોધાશે. પાણી ઓછા પ્રેશરથી મળશે. રાંદેર, પાલ, પાલનપોર, અમરોલી, મોટા વરાછા, અબ્રામા વિસ્તારમાં પાણી મળશે. તે સિવાય 80 ટકા વિસ્તારોને <br /> <br />પાણી પુરવઠો આપી શકાશે નહી.