Surprise Me!

ભાવનગરમાં વિદ્યાર્થીઓ મોતના જોખમે મુસાફરી કરવા મજબૂર

2022-07-29 1,108 Dailymotion

ભાવનગરના તળાજામાં એસટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તેથી ધારાસભ્ય કનુ બારૈયાએ એસટી વિભાગમાં રજૂઆત <br />કરી છે. જેમાં તળાજા પંથકમાં એસ.ટી બસની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ મોતની સવારી કરી રહ્યા છે. <br /> <br />તળાજાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ તળાજા ખાતે શિક્ષણ મેળવવા માટે આવે છે. પરંતુ ગામડાઓમાં એસ.ટી બસની અપૂરતી સુવિધાના લીધે હેરાન થવું પડે છે. તેવામાં જાગૃત <br /> <br />નાગરિક દ્વારા સ્કૂલના બાળકો એસ.ટી બસમાં જગ્યા ન હોવાથી નાછૂટકે છકડો રીક્ષામાં મુસાફરી કરતા હોય તેવો વીડિયો વાયરલ કર્યો છે. વીડિયો વાયરલ થતા તળાજાના ધારાસભ્ય કનુ <br /> <br />બારૈયા એ એસ.ટી વિભાગમાં બસ માટે રજૂઆત કરી છે.

Buy Now on CodeCanyon