શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા છે. તેવામાં સોમનાથ મંદિરમાં પત્રકારોએ ધરણા કર્યા છે. કારણ કે સોમનાથ ટ્રસ્ટે પત્રકારોને કવરેજ પર <br /> <br />પ્રતિબંધ ફરમાવતા રોષ ફેલાયો છે. જેમાં પત્રકારો સોમનાથ મંદિરના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર છે. તેમજ કાળીપટ્ટી ધારણ કરી પત્રકારો ધરણા પર ઉતર્યા છે. <br /> <br />ટ્રસ્ટની તાનાશાહીના વિરોધમાં પત્રકારો આંદોલનના માર્ગે <br /> <br />ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટની તાનાશાહીના વિરોધમાં પત્રકારો આંદોલનના માર્ગે છે. ગીર સોમનાથમાં આવેલ સોમનાથ મંદિર ખાતે પત્રકારોના ધરણા પ્રદર્શનને લઇ લોકોમાં પણ મંદિરના <br /> <br />ટ્રસ્ટીઓ સામે રોષ ફોલાયો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પત્રકારોને કવરેજ પર પ્રતિબંધ ફરમાવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેથી પત્રકારો સોમનાથ મંદિરના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર <br /> <br />ઉતર્યા છે. તેમાં કાળીપટ્ટી ધારણ કરી પત્રકારોએ નારા લગાવ્યા છે કે પત્રકારો છીએ આતંકવાદી નથી. સદબુદ્ધિ આપો. સોમનાથ ટ્રસ્ટને સદબુદ્ધિ આપો તેમ પત્રકારોએ સૂત્રોચ્ચાર કર્યા છે. <br /> <br />કાળીપટ્ટી ધારણ કરી પત્રકારો ઉતર્યા ધરણા પર <br /> <br />સુરક્ષા વિભાગ દ્વારા પત્રકારોને કવરેજ માટે મંજૂરી છે. પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેથી સોમનાથ ટ્રસ્ટની તાનાશાહીના વિરોધમાં પત્રકારો આંદોલનના <br /> <br />માર્ગે ઉતર્યા છે. જેમાં સોમનાથ આવતા ભાવિકો પણ અવાચક બન્યા છે. તેમજ ભાવિકોએ પણ સોમનાથ ટ્રસ્ટની આલોચના કરી છે.