Surprise Me!

વનવિભાગ દ્વારા એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો

2022-08-02 451 Dailymotion

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના કહેરે હાહાકાર મચાવ્યો છે. જેમાં 24 કલાકમાં 1191 કેસ નોંધાયા છે. તથા 24 કલાકમાં લમ્પી વાયરસથી 32 પશુના મોત થયા છે. તેમજ જામનગરમાં 413, <br /> <br />રાજકોટમાં 287 કેસ, દ્વારકામાં 274, મોરબીમાં 43, પોરબંદરમાં 28, અમરેલીમાં 32, જુનાગઢમાં 14 કેસ છે. <br /> <br />ગાયોના શિકાર કરનાર વનરાજો રોગચાળાનો ભોગ બનશે <br /> <br />ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લામાં લમ્પી વાઇરસથી ગાય જેવા પશુ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે આવી ગાયોના શિકાર કરવાથી લમ્પી વાઇરસ સિંહોમાં ન ફેલાય તે માટે વન વિભાગે <br /> <br />એકશન પ્લાન તૈયાર કર્યો છે. હાલ સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ગાયો ટપોટપ મરી રહી છે. એક તરફ સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો દાવાનળની જેમ ફેલાવો થઇ રહ્યો છે. <br /> <br />બીજી તરફ ગિર વિસ્તારના ગામડામાં દરરોજ સિંહો દ્વારા ગાયોના શિકારના થઈ રહ્યા છે. ત્યારે લમ્પીગ્રસ્ત ગાયોના કારણે સિંહોમાં પણ આ વાઇરસ ફેલાવાની ભિતી નકારી શકાય નહિ. આ <br /> <br />રોગના કારણે મોટી સંખ્યામાં ગાયોના મોત થઇ રહ્યા છે. ગાયોના શિકાર કરનાર વનરાજો રોગચાળાનો ભોગ ન બને તે અંગેની કાળજી લેવા સિંહ પ્રેમીઓ દ્વારા માંગણી અને રજુઆત <br /> <br />કરવામાં આવી છે. <br /> <br />ચેપ ગ્રસ્ત પશુઓના શિકારથી લમ્પી વાઇરસ સિંહોમાં ફેલાશે! <br /> <br />હાલ જે લમ્પી વાઇરસ ગાયોમાં ફેલાયો છે તેને લઈને સિંહ ઉપર જોખમ ઉભું થયું છે. ત્યારે વનવિભાગ દ્વારા એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા નેસ <br /> <br />વિસ્તારમાં રહેતા માલધારીઓના પશુધનમાં આ રોગ ન ફેલાય તે માટે વેક્સિન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં મોટાભાગના નેસડાઓમાં વસતા પશુઓને વેક્સિનના ડોઝ આપી દેવામાં <br /> <br />આવ્યા છે. ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં સિંહોની અવરજવર હોય ત્યાં ગાયોને વેક્સિનની કામગીરી વેટરનરી વિભાગ દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે. અને આ રોગ જેનેટિક ન હોવાને લીધે <br /> <br />ગાયો માંથી સિંહોમાં ફેલાય તેવા કોઈ રિપોર્ટ કે માહિતી હજુ સુધી કોઈ પાસે નથી. એટલે સિંહોમાં આ રોગ ફેલાવવાની શકયતા નથી.

Buy Now on CodeCanyon