Surprise Me!

ટપોટપ મરી રહ્યાં છે પશુઓ, રસીકરણમાં વધારો કરાયો

2022-08-04 269 Dailymotion

રાજ્યના 106 ગામોમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો છે. જેમાં અત્યાર સુધી 57,677 પશુઓ લમ્પીથી અસરગ્રસ્ત થયા છે. તેમાં લમ્પીના કારણે કુલ 1639 પશુઓના મોત થયા છે. <br /> <br />તેમજ પશુઓના રસીકરણમાં વધારો કરાયો છે. તથા સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના કેસમાં વધારો થયો છે. <br /> <br />સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના કેસમાં વધારો <br /> <br />સમગ્ર રાજ્યમાં ફેલાયેલા લમ્પી સ્કીન ડિસીઝને લઇને પશુપાલન વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યુ છે. જિલ્લામા ઉમરેઠ સિવાયના બાકીના સાત તાલુકાઓમાં 79 ગામોમાં <br /> <br />147 પશુ અસરગ્રસ્ત થયા છે. જેમા આણંદ તાલુકાના 10 ગામના 13 પશુ, આંકલાવ તાલુકાના 6 ગામના 6 પશુ, બોરસદમાં 12 ગામના 21 પશુ, પેટલાદના 15 ગામના 47 પશુ, ખંભાતના <br /> <br />19 ગામના 21 પશુઓ, તારાપુરના 14 ગામના 24 પશુઓ, સોજીત્રા તાલુકાના 4 ગામના પશુઓનો સમાવેશ થાય છે તેમ પશુપાલન નિયામક ડૉ.સ્નેહલ પટેલે જણાવ્યુ છે. <br /> <br />લમ્પીના કારણે કુલ 1639 પશુઓના મોત <br /> <br />આણંદ જિલ્લામા લમ્પી ડિસીઝના કેસો જણાતા કલેક્ટર મનોજ દક્ષિણી, ડીડીઓ મિલિંદ બાપનાએ આ અંગે તાકીદની બેઠક બોલાવીને અસરગ્રસ્ત ગામોમાં રસીકરણની કામગીરી યુદ્ધના <br /> <br />ધોરણે શરૂ કરવાની સુચના આપતા અત્યાર સુધીમાં જિલ્લાના અસરગ્રસ્ત 79 ગામોમાં 9193 પશુઓને અમૂલ ડેરી, પશુપાલન વિભાગ દ્વારા રસી મૂકાઈ છે. ઉપરાંત જિલ્લામા રોગચાળાનુ <br /> <br />સંક્રમણ ફેલાય તે માટે જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ગૌશાળામાં પણ રસીકરણની કામગીરી ચાલી રહી છે. આંકલાવ તાલુકાના અસરગ્રસ્ત ગામોના 1200, આંકલાવ તાલુકાના 100, <br /> <br />બોરસદ તાલુકાના 300, પેટલાદ તાલુકાના 2460, ખંભાત તાલુકાના 4722, તારાપુરના 291 અને સોજીત્રા તાલુકામા 120 પશુઓનું વેકસિનેશન કરાયું છે.

Buy Now on CodeCanyon