સુરતમાં આજે હર ઘર તિરંગા માટેની પદયાત્રા શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રામાં ભાગ લીધો છે. લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધી <br /> <br />પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે કિલોમીટરની તિરંગા પદયાત્રા યોજાશે. તેમાં હર્ષ સંઘવી, સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં છે. <br /> <br />લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધી પદયાત્રા યોજાઇ <br /> <br />સુરતમાં હર ઘર તિરંગા માટે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદયાત્રામાં ઉપસ્થિત રહ્યાં છે. તેમજ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગિલ <br /> <br />ચોક સુધી પદયાત્રા શરૂ કરવામાં આવી છે. તેમાં બે કિલોમીટરની તિરંગા પદયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી <br /> <br />હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે PM મોદીનો હું આભાર માનું છું, 13થી 15 ઓગસ્ટ રાજ્યના ઘરે ઘરે તિરંગો લહેરાશે. દેશમાં એકતાની લહેર જાગી છે. <br /> <br />હર્ષ સંઘવી સાથે સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત <br /> <br />તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું છે કે રાષ્ટ્રધ્વજ લહેરાવાની સ્વતંત્રતા આસાનીથી નથી મળી, તિરંગો ખરીદીને લહેરાવવો જોઈએ. દરેક નાગરિકોને ઘરે તિરંગો લહેરાવો <br /> <br />જોઈએ. ગ્રામ પંચાયતથી સચિવાલય સુધી તિરંગાની શાન દેખાશે. જેમાં એક કરોડના ધ્વજ ઓછા પડશે. તેમજ દેશભક્તિસભર માહોલમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા છે. મુખ્યમંત્રી <br /> <br />અને મહાનુભાવો પોતે તિરંગા પદયાત્રામાં રસ્તા પર ચાલી સહભાગી બન્યા છે. તથા યાત્રાના રુટ પર મુખ્યમંત્રી અને મહાનુભવોનું તિરંગા લહેરાવી શહેરીજનોએ અભિવાદન કર્યું છે.