Surprise Me!

સરદાર ડેમના 5 દરવાજા ખોલાયા, નદી કાંઠેના વિસ્તારોને કરાયા એલર્ટ

2022-08-12 2,820 Dailymotion

નર્મદા નદીમાં ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી છે. જેમાં નર્મદા નદી કાંઠેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. તેમજ ડેમમાંથી નદીમાં વધુ 55 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. તથા <br />નર્મદા નદીમાં કુલ 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. તેથી શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના તંત્રને એલર્ટ કરાયું છે. તથા સરદાર સરોવરની સપાટી 133.51 મીટર પહોંચી <br /> <br />છે. <br /> <br />80 ટકા જેટલો ડેમ ભરાતા પાણી છોડવામાં આવ્યુ <br /> <br />ઉલ્લેખનીય છે કે 80 ટકા જેટલો ડેમ ભરાતા પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં ડેમની સપાટી પહોંચી 133.51 મીટર પહોંચી છે. તથા <br /> <br />ડેમમાં પાણીની આવક 2 લાખ 32 હજાર ક્યુસેક થઇ છે. તેમજ આવક સામે જાવક 49 હજાર 487 ક્યુસેક થઇ છે. તથા બપોરે 12 વાગ્યે પાંચ ગેટ એક મીટર ખોલવામાં આવ્યા છે. તથા <br /> <br />નર્મદા નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. <br /> <br />શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના તંત્રને એલર્ટ <br /> <br />તેમજ પાણીની આવક 232208 ક્યુસેક તથા જાવક 49487 ક્યુસેક છે. 5 રેડિયલ ગેટ 1 મીટર જેટલા ખોલી નર્મદા નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ સરદાર <br /> <br />સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યુ તેથી શિનોરમાં નર્મદા નદીમાં પાણીનું લેવલ વધ્યુ છે. તથા નર્મદા નદી કાંઠાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સરપંચ અને <br /> <br />મામલતદારોને સતર્ક કરવામાં આવ્યા છે. તથા 11 ગામોના સરપંચને મામલતદાર દ્વારા એલર્ટ રહેવાની ચુચના આપવામાં આવી છે.

Buy Now on CodeCanyon