રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો છે. તેમાં સાતમું પગાર પંચ મેળવતા કર્મચારીઓને લાભ <br /> <br />મળશે. જેમાં 1 જાન્યુઆરી 2022થી ભથ્થુ અમલી થશે. તેમજ તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. જેમાં અંદાજે 9.38 લાખ કર્મચારીઓને લાભ મળશે. <br /> <br />તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે <br /> <br />ઉલ્લેકનીય છે કે રાજ્ય સરકારને ભથ્થુ વધારવાથી રૂ.1400 કરોડનું ભારણ થશે. રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા. 01-01-2022થી 3 ટકાનો <br /> <br />વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારી હિતલક્ષી નિર્ણય <br /> કર્યો છે. મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. <br /> <br />અંદાજે 9.38 લાખ કર્મચારીઓને મળશે લાભ <br /> <br />જેમાં <br />પ્રથમ હપ્તો ઑગસ્ટ-2022 બીજો હપ્તો સેપ્ટેમ્બર-2022ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય <br /> <br />સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે <br />.
