Surprise Me!

USAમાં ભારતીયોનો દબદબો, 76મા સ્વાતંત્ર્ય પર્વની કરાઇ ભવ્ય ઉજવણી

2022-08-16 1 Dailymotion

એનઆરઆઈ હબ ગણાતા ચરોતર પ્રદેશના લોકો વિદેશમાં સ્થાયી થવા છતાં ભારત દેશ પ્રત્યે ગર્વની લાગણી અનુભવે છે. તેઓ ધાર્મિક ઉપરાંત રાષ્ટ્રીય તહેવાર પણ એટલા જ ઉત્સાહથી <br /> <br />ઉજવે છે. ભારત દેશના આઝાદીના 75મા વર્ષ પૂર્ણ થયા છે, જે નિમિત્તે સમગ્ર દેશમાં અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જોકે, વિદેશમાં રહેતા ભારતિયો પણ આ ઉત્સવમાં એટલા જ <br /> <br />ઉત્સાહથી ભાગ લઇ રહ્યાં છે. ખાસ કરીને અમેરિકા રહેતા ભારતિયોએ 76મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરી હતી. <br /> <br />પુસ્તિકાનું પણ અનાવરણ કરવામાં આવ્યું <br /> <br /> <br />અમેરિકામાં રહેતા ભારતિયોએ દેશની આઝાદીના 76મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગની ઉજવણી દબદબાબેર કરી હતી. એક હજાર કરતા વધારે ગુજરાતી અને દેશના વિવિધ પ્રાંતના <br /> <br />એનઆરઆઈની હાજરીમાં આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમી ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકાના લોસ એન્જલસ ખાતે ભારતીયોએ આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય <br /> <br />ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં ગુજરાતીઓ બહોળા પ્રમાણમાં જોડાયાં હતાં. આ પ્રસંગે ભારતીય વ્યવસાયીકોનો પરિચય આપતી અને સિદ્ધિ ગાથા કરતી પુસ્તિકાનું પણ અનાવરણ <br /> <br />કરવામાં આવ્યું હતું. <br /> <br />ગુજરાતી સમાજમાં આનંદની લાગણીની છવાઈ <br /> <br />આ ઉજવણીમાં ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ, પરિમલ શાહએ જહેમત ઉઠાવી હતી. જ્યારે કેવલકાંડા કાઉન્સિલ જનરલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રાજેશ નાયક, ડેવલોપર અને ઇન્વેસ્ટર <br /> <br />ભુપેશ પરીખ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અમેરિકામાં વરસોથી મહેનત કરી સ્થાયી થયેલાં અને ગુજરાતીઓએ પોતાના વ્યવસાયિક કુનેહને લઇ એક આગવું સ્થાન ઉભુ કર્યું છે. તે <br /> <br />પ્રગતિગાથા અન્ય ભારતિયોમાં પણ આદર્શ સાબિત થઇ રહી છે. આ પ્રસંગે આવા ગુજરાતી વ્યવસાયિકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લેબોન હોસ્પિટાલીટી ગૃપના <br /> <br />ચેરમેન અને અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ કે જે સૌથી યુવા બિઝનેસમેન છે, આ ઉંમરે તેમની વ્યવસાયિક સિદ્ધિ જાહેર મંચ પરથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા <br /> <br />ગુજરાતી સમાજમાં આનંદની લાગણીની છવાઈ ગઈ છે. <br /> <br />ઉદ્યોગપતિઓએ ભારતને ટોચના સ્થાને મુક્યું <br /> <br />આ પ્રસંગે યોગી પટેલે આ સન્માન સ્વિકારતા જણાવ્યું હતું કે, દેશની સંસ્કાર, સંસ્કારીતા અને સાહસએ આપણો અમુલ્ય વારસો છે. તેનું જતન કરવું અને વિસ્તરણ કરવું તે દરેક <br /> <br />ભારતીયોની ફરજ છે. સ્વાતંત્ર્ય પર્વના રાષ્ટ્રિય તહેવાર નિમિત્તે દેશને આઝાદ કરવા જે શહિદોએ બલિદાન આપ્યા છે, જે કુટુંબોએ સંઘર્ષ વેઠ્યો છે. તેનું સ્થાન સદા હૃદયસ્થ રહેશે. આઝાદી <br /> <br />બાદ ભારતની પ્રગતિમાં જે રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓએ ભારતને ટોચના સ્થાને મુક્યું છે, તે લોકો પણ એટલા જ સન્માનિય અને વંદનીય છે. ભારતીય હોવાનું આપણા માટે <br /> <br />સદા ગૌરવ હોવું જોઈએ. આમ જણાવી તેઓએ શહિદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Buy Now on CodeCanyon