શામળાજી પંથકમાં ખાબકેલ ભારે વરસાદના કારણે શામળાજીના નાદરા ગામે ડેમના વેસ્ટ વિયરનું પાણી આવતા 40 ઘરના લોકોને અવર જવર માટે હાલાકી પડી રહી છે. છેલ્લા બે દિવસ <br /> <br />થી અરવલ્લીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વિશેષ કરીને શામળાજી વિસ્તારમાં વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. <br /> <br />જેમાં નાદરી ગામમાં નદીની સામે રહેતા 40 પરિવારોને કોઈપણ કામકાજ હોય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવુ હોય કે દર્દીને સારવાર માટે જવુ હોય તો મોટા કંથારિયા આવવું પડે ત્યારે <br /> <br />ચોમાસાના સમયે નદીમાં ડેમના ઓવરફ્લો પાણી અને રાજસ્થાન તરફથી આવતા વરસાદી પાણીના કારણે 40 પરિવાર સંપર્ક વિહોણા બની જાય છે. કોઈપણ વ્યક્તિ એક તરફ થી બીજી <br /> <br />તરફ જવા માટે અસમર્થ બને છે.