સૌરાષ્ટ્રમાં પેટ્રોલ પંપ સંચાલકો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રાજકોટ, જુનાગઢમાં આઠથી વધુ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં વધુ વેચાણ છતા ઓછા ટેક્સની <br /> <br />આશંકાએ તપાસ કરવામાં આવી છે. તેમજ મોટી ટેક્સચોરી પકડાવાની શક્યતા છે. <br /> <br />રાજકોટના ચાર પેટ્રોલ પંપ તથા જુનાગઢના એક સહિત સૌરાષ્ટ્રમાં કુલ આઠથી વધુ પેટ્રોલ પંપ ઉપર દરોડાની કાર્યવાહી થઇ છે. તેમાં ડીઝલ અને પેટ્રોલના વધુ વેચાણ છતાં ઓછો ટેક્સ <br /> <br />ભરવામાં આવ્યાની આશંકાને પગલે તપાસ કરવામાં આવી છે. તેમાં જીએસટી અને એન્ફોર્સમેન્ટ વિભાગની કાર્યવાહીમાં મોટી ટેક્સ ચોરી ઝડપવાની શકયતા છે.