ભુજમાં PM મોદીનો 3 કિમી લાંબો ભવ્ય રોડ શૉ યોજાયો છે. જેમાં ભુજના રસ્તાઓ પર મોદી મોદીના નારા લાગ્યા છે. તથા પ્રધાનમંત્રી મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. તેમજ <br />સ્મૃતિ વનના લોકાર્પણ બાદ PM મોદી સભા સ્થળે પહોંચશે. તથા યુનિ.ગ્રાઉન્ડમાં અલગ અલગ વિભાગોના ખાતમુહૂર્ત કરશે. <br /> <br />ભુજના રસ્તાઓ પર મોદી મોદીના નારા લાગ્યા <br /> <br />ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી મેદાનમાં PM મોદી સભાને સંબોધશે. તેમાં 2 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. તેમજ અંજારમાં બનેલું વીર બાળક સ્મારકનું પણ પ્રધાનમંત્રી <br /> <br />મોદી લોકાર્પણ કરશે. જેમાં દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ <br /> <br />કરવામાં આવ્યા છે. <br /> <br />પ્રધાનમંત્રી મોદીએ સ્મૃતિવનનું કર્યું લોકાર્પણ <br /> <br />ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. સાથે જ ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ <br /> <br />બનાવવામાં આવ્યો છે. તો મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં <br /> <br />આવ્યો છે. જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.