અમદાવાદમાં 1 સપ્ટેમ્બરથી અટલ બ્રિજ જોવા માટે ચાર્જ ચૂકવવો પડશે. જેમાં અટલ ફૂટ ઓવર બ્રિજ પર જવાનો 30 મિનિટનો ચાર્જ રૂ.30 રાખવામાં આવ્યો છે. તેમાં AMCના અટલ ફૂટ <br /> <br />ઓવરબ્રિજને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. <br /> <br />12 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે રૂ.30 ચાર્જ <br /> <br />હવે AMC દ્વારા અટલ ફૂટ ઓવરબ્રિજના ટિકિટ દર નક્કી કરાયા છે. તેમાં 12 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે રૂ.30 ચાર્જ થશે. તથા 12 વર્ષથી નાના બાળકો માટે રૂ.15 ચાર્જ થશે. અને <br />સિનિયર સીટીઝન માટે 15 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. તેમજ ભીડ નિયંત્રણ કરી શકાય તે માટે AMCએ નિર્ણય કર્યો છે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ <br /> <br />પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી <br /> <br />તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે. <br /> <br />સિનિયર સીટીઝન માટે 15 રૂપિયા ચાર્જ <br /> <br />સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજનું આયોજન કરવામાં <br /> <br />આવ્યું છે. જે પૂર્વ અને પશ્ચિમ કાઠાને સરળતાથી જોડાશે.