નડિયાદમાં પીજ રોડ ગીતાંજલી ચોકડી પાસે આવેલ સાર્વજનિક ગણેશ મહોત્સવના પંડાલમાં ડેકોરેશન કરતા સમયે ઘટના બની હતી. તેમાં <br /> <br />ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે બે <br /> <br />યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાં <br /> <br />વીજ કરંટ લાગતા બે યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. તથા એક યુવકનો આબાદ બચાવ થયો હતો. <br /> <br /> <br /> <br />સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા <br /> <br />પીજ રોડ પર આવેલ ગીતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે અચાનક 11 કે.વીનો વાયર <br /> <br />માથાના ભાગે અડકી જતાં ઘટના બની હતી. <br /> <br />હાલ બન્ને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા છે. તેમજ <br /> <br />નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ શરૂ <br /> <br />કરવામાં આવી છે. <br /> <br /> <br /> <br />1 યુવકે ચંપલ પહેરેલા હતા તે બચી ગયો <br /> <br />નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ પીજ રોડ ગીતાંજલી ચોકડી પાસે દરવર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજાય છે. આ વર્ષે પણ મહોત્સવના આયોજનને લઈને રાત્રિના સુમારે પંડાલ <br /> <br />બાંધકામનું કામ ચાલી રહ્યું હતુ. તેમાં સાત જેટલા મજૂરો પંડાલ બાંધકામનું કામ કરી રહ્યા હતા. જે પૈકી ત્રણ મજૂરો પંડાલ પર તાડપત્રી નાખવાનું કામ કરી રહ્યા હતા. જોકે પંડાલની <br /> <br />ઉપરથી જ 11 કેવી વીજલાઇન પસાર થતી હોઈ એક મજૂરના માથાના ભાગે 11 કેવીનો વાયર અડી જતા તેને કરંટ લાગતા પંડાલ પર ચોટી ગયો હતો. જ્યારે બીજા પણ મજૂરને કરંટ <br /> <br />લાગતા તે ભોંય પર પટકાયો હતો. જ્યારે ત્રીજા મજૂરે ચપ્પલ પહેર્યા હોય તેને કરંટ લાગ્યો ન હતો. બનાવને પગલે તુરંત જ બંને કરંટ લાગેલ મજૂરોને તાત્કાલિક નડિયાદ સિવિલ <br /> <br />હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મહોત્સવ ટાણે બનેલ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. જેમાં નડિયાદ <br /> <br />પશ્ચિમ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.