સુરતના જર્જરિત મકાનની છત પડતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેમાં ગતરાતે રૂદરપુરામાં મકાનની છત ધરાશાયી થઈ હતી. તેમાં ઘટનામાં માતા અને પુત્ર કાટમાળ નીચે <br /> <br />દબાયા હતા. જેમાં પુત્ર હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. ગઈકાલે મોડી રાતે ત્રણ માળના જર્જરિત મકાનના ગ્રાઉન્ડ ફ્લોરની છત તૂટી હતી. તે દરમિયાન વૃદ્ધા બેડ પર સૂતી હતી. <br />ગ્રાઉન્ડ ફ્લોરની છત અચાનક તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી. જેમાં છતના કાટમાળ નીચે દબાયેલા માતા-પુત્રને ફાયરની ટીમે બહાર કાઢી સારવાર માટે સિવિલમાં ખસેડ્યા <br /> <br />હતા. જોકે, તબીબી સારવાર કારગત નીવડે તે પહેલાં વૃદ્ધા મૃત થઈ ચૂક્યા હતા.