Surprise Me!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી અમદાવાદ આવશે

2022-09-01 231 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બર ગુજરાત આવશે. જેમાં અમદાવાદ સાયન્સસિટીમાં DST પરીષદની શરુઆત કરાવશે. તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ એન્ડ ટેક્નોલોજી <br /> <br />વિભાગના મંત્રી, સચિવની બેઠક તથા 100થી વધુ સ્ટાર્ટઅપના CEO બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. <br /> <br />અમદાવાદ સાયન્સસિટીમાં DST પરીષદની શરુઆત કરાવશે <br /> <br />ઉલ્લેખનીય છે કે નિતી આયોગના સભ્ય વિ.કે.સારસ્વત બેઠકમાં હાજર રહેશે. તથા કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ હાજર રહેશે. બે દિવસ તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેક્નોલોજી <br /> <br />વિભાગના મંત્રી અને સચિવની બેઠકનુ આયોજન ભારત સરકારે કર્યું છે. જેમાં 100થી વધુ સ્ટાર્ટ અપના સીઈઓ પણ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. જેમાં વડાપ્રધાન મોદીનો ફરી <br /> <br />એકવાર ગુજરાત આવવાનો કામચલાઉ કાર્યક્રમ નક્કી થયો છે, એ મુજબ તેઓ 10 સપ્ટેમ્બરે અમદાવાદ આવી સાયન્સસિટી ખાતે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સાયન્સ અને <br /> <br />ટેક્નોલોજી વિભાગના મંત્રીઓ તથા સચિવોની બે દિવસ માટે યોજાનારી વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે. <br /> <br />કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ હાજર રહેશે <br /> <br />બુધવારે નવી દિલ્હીમાં આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે એક ઉચ્ચકક્ષાની બેઠક યોજી જાહેરાત કરી હતી. જાણકાર સૂત્રો કહે છે કે, રાજ્યનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ આ પરિષદના <br /> <br />આયોજન માટે કેન્દ્રીય મંત્રાલયની સૂચના અનુસાર ફેસિલિટેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. લગભગ 150થી 200 જેટલા મહાનુભાવો આ પરિષદમાં ભાગ લેશે, તેમની વ્યવસ્થા રાજ્યના શિરે <br /> <br />રહેશે. સાયન્સ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા બાયોટેક્નોલોજી, અર્થસાયન્સ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એટોમેટિક રિસર્ચ જેવા 8થી 10 જેટલા જુદા જુદા કેન્દ્રીય વિભાગોના વડા <br /> <br />અધિકારીઓ પણ આ બે દિવસની પરિષદમાં ભાગ લેશે. આ વિજ્ઞાન પરિષદ 10-11 સપ્ટેમ્બરના રોજ શનિ-રવિ દરમિયાન યોજાશે.

Buy Now on CodeCanyon