Surprise Me!

અમદાવાદ GMDCમા ભવ્ય ગરબાનું આયોજન કરાશે

2022-09-02 438 Dailymotion

નવરાત્રીને લઈ રાજ્ય સરકારનું મહત્વનું આયોજન સામે આવ્યું છે. જેમાં રાજ્યમા શક્તિ કેન્દ્રો પર ગરબાનું આયોજન કરવામાં આવશે. તેમાં અંબાજી અને બહુચરાજી સહિત 9 <br /> <br />શક્તિમંદિરમાં ઉજવણી થશે. તેમજ અમદાવાદ GMDCમા ભવ્ય ગરબાનું આયોજન કરાશે. તથા કોરોનાના બે વર્ષ બાદ સામાન્ય સ્થિતિમા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. <br /> <br />કોરોનાના બે વર્ષ બાદ સામાન્ય સ્થિતિમા ગરબાનું થશે આયોજન <br /> <br />નવરાત્રી એક હિંદુ તહેવાર છે જે દેશમાં બે વાર ઉજવવામાં આવે છે - ચૈત્ર (માર્ચ-એપ્રિલ) અને શારદા (ઓક્ટોબર-નવેમ્બર) દરમિયાન. નવરાત્રી શબ્દનો અર્થ સંસ્કૃતમાં નવ રાત થાય <br /> <br />છે અને આ બંને મહિનામાં નવ દિવસનો તહેવાર છે. દેશના અલગ-અલગ ભાગોમાં નવરાત્રીની ઉજવણી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જેઓ આ નવ દિવસો દરમિયાન ઉપવાસ <br /> <br />કરે છે, તેના માટે ખાસ ખોરાક અને પીણાં તૈયાર કરાય છે. તથા નવરાત્રીના અલગ પોશાક પહેરે છે. <br /> <br />26મી સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થશે <br /> <br />જો તમે તારીખો વિશે વિચારી રહ્યાં હોવ તો, 2022માં 26મી સપ્ટેમ્બરથી 04મી ઓક્ટોબરની વચ્ચે શારદા નવરાત્રી ઉજવવામાં આવશે. અને આગામી ચૈત્ર નવરાત્રિ 21મી માર્ચ 2023થી <br /> <br />30મી માર્ચ 2023ની વચ્ચે ઉજવવામાં આવશે.

Buy Now on CodeCanyon