એક જ શેરીમાં શ્રીજીની 216 મૂર્તિની સ્થાપનાનો અદભુત નજારો જોવા મળ્યો છે. ગોલ્ડન જ્યુબિલી વર્ષની સંપૂર્ણ અધ્યાત્મના માર્ગે ભક્તિસભર ઉજવણી કરાઇ છે. સુરતીઓ શ્રીજીમાં અપાર <br /> <br />શ્રદ્ધા ધરાવે છે. એકદંતના આગમનના સાથે સુરત શહેરમાં ગલી ગલીએ ઉત્સવનો માહોલ સર્જાયો છે. <br /> <br />શહેરમાં ગલી ગલીએ ઉત્સવનો માહોલ સર્જાયો <br /> <br />શેરી મહોલ્લાઓમાં રોશની અને શણગાર સાથે બાપ્પાની વાજતે ગાજતે પધરામણી થઇ ચૂકી છે. કોરોનાકાળ બાદ આ વખતે વિઘ્નહર્તાને વેલકમ કરવામાં સુરતીઓએ કોઇ કસર કે કચાશ <br /> <br />બાકી રાખી નથી. કોટ વિસ્તારની શેરીમાં બાપ્પાની સરેરાશ બેથી ત્રણ મૂર્તિની સ્થાપ્ના થઇ છે. ગલી ગલીએ શ્રીજીની ધૂમ વચ્ચે ગણેશોત્સવનું શાનદાર આયોજન કરવા માટે જાણીતા <br /> <br />મહિધરપુરા દાળીયા શેરીમાં આ વખતે બે-ચાર નહી પૂરા 108 માટીની અને 108 ચાંદીની મૂર્તિની સ્થાપ્ના થઇ છે. <br /> <br />108 માટીની અને 108 ચાંદીની મૂર્તિની સ્થાપ્ના થઇ <br /> <br />તેમજ માટીની, ચાંદીની શ્રીજીની મૂર્તિઓ મૂકી શ્રદ્ધાળુઓ એક અલગ જ મહિમા ઊભો કરી ચૂકી છે. આ અંગે શેરીની મહિલા ભક્તોએ જણાવ્યું હતું કે મહિધરપુરા દાળિયા શેરી 2022માં <br /> <br />ગણેશોત્સવનું ગોલ્ડન જ્યુબિલી (50) વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે. ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની તન, મન, ધનથી પૂજા-અર્ચના કરવામાં શેરીનો પ્રત્યેક પરિવાર સહભાગી <br /> <br />થયો છે. મહોલ્લા વાસીઓ દ્વારા પાછલા એક વર્ષથી ગણેશોત્સની તૈયારીઓ થઇ રહી હતી. આ તૈયારીઓને અંતે આ વખતે ઉજવણીનો એક અલગ જ માહોલ ઊભો થયો છે. શેરીના <br /> <br />લગભગ તમામ પરિવારો દ્વારા ચાંદીની મૂર્તિઓની એક જ મંડપમાં સ્થાપના કરવામાં આવી છે. 350 ફૂટ લાંબા મંડપમાં બાપ્પાની દોઢ ફૂટની 108 પ્રતિમા સાથે 150 ગ્રામ ચાંદીની 108 <br /> <br />મૂર્તિઓની પણ સ્થાપના થઇ છે. <br /> <br />પ્રતિદિન 1008 લાડુની આહુતિ આપવામાં આવશે <br /> <br />દાળીયા શેરીના સાર્વજનિક ગણેશોત્સવને 50 વર્ષ થયા છે. આ નિમિત્તે બાપ્પાની આરાધના કરવામાં કોઇ કસર બાકી નહીં રહે તે માટે મહિધરપુરા શેરીમાં બે યજ્ઞકુંડ બનાવાયા છે. આ <br /> <br />યજ્ઞમાં અર્થવર્સીસના પાઠ સાથે પ્રતિદિન 1008 લાડુની આહુતિ આપવામાં આવશે. તથા યજ્ઞકુંડ પાસે દોઢ કિલો ચાંદીમાંથી બનાવવામાં આવેલી બાપ્પાની બે મૂર્તિઓની પૂજા-અર્ચના <br /> <br />કરવામાં આવશે. એક સપ્તાહ સુધી આ હોમ-હવન થશે.