આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસની સૌરાષ્ટ્રની મુલાકાતે છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે આપવામાં આવતા પ્રજાકીય સેવાના કામોના <br /> <br />વચનો પૂરા કરવાની ગેરંટી આપતા ગેરંટીકાર્ડ વિતરણનો ગણેશચતુર્થીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. તેઓ કોઈ એક ગામડામાં ડોર ટુ ડોર ફરીને પોતે પણ આ ગેરંટી કાર્ડનું વિતરણ કરશે. <br /> <br />ગેરંટીકાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું <br /> <br />ગુજરાત-સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને તાલુકાના મુખ્ય શહેરો સાથે નાનામાં નાના ગામડાંઓમાં ડોર ટુ ડોર ફરીને આમ આદમી પાર્ટીના કાર્યકરો આ ગેરંટી કાર્ડનું વિતરણ કરશે. જેનો <br /> <br />પ્રારંભ આજથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં કરવામાં આવ્યો છે. પક્ષના સૂત્રોએ એમ જણાવ્યું કે, કેજરીવાલ અને પક્ષ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવનારા આ વિવિધ પ્રજાલક્ષી સેવા <br /> <br />સાથે ચૂંટણી ઢંઢેરામાં પણ આપવામાં આવનારા વચનોની ગેરંટી આપવા પાછળનો મૂળ હેતુ પક્ષે આપેલા વચનોની યાદી લોકો સુધી ઘેર ઘેર પહોંચે અને એ વચનો પરિપૂર્ણ કરવાની <br /> <br />ખાતરી આપવા માટે ગેરંટીકાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. <br /> <br />અમદાવાદની મુલાકાતે આવશે <br /> <br />પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર 2જી સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા તથા તા.3ના રોજ સુરેન્દ્રનગરની મુલાકાતે કેજરીવાલ આવનાર છે. આ પછી જ્યારે પણ અમદાવાદની મુલાકાતે <br /> <br />આવશે ત્યારે શહેરના કોઈ એક વિસ્તારમાં ડોર ટુ ડોર ફરીને ગેરંટીકાર્ડનું વિતરણ કરશે.