કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના વાડજમાં સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં રૂ.9.54 કરોડના ખર્ચે બનેલી શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે <br /> <br />કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું છે કે 3200થી વધુ બાળકોને શિક્ષણનો લાભ મળશે. <br /> <br />કોંગ્રેસના રાજમાં પોરબંદર શરૂ થાય છે તેવા બોર્ડ જોયા <br /> <br />તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધનમાં વધુમાં જણાવ્યું છે કે PM મોદીએ નવી શિક્ષણ નીતિ પર ભાર મુક્યો છે. હવે દિલ્હીથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. CM એ જ <br /> <br />પોલિસીને આગળ વધારી રહ્યા છે. તથા કરફ્યૂ ગુજરાતમાં જોવા જ નથી મળ્યો. તથા BJPની સરકાર આવ્યા બાદ શાંતિ રહી છે. તેમજ પોરબંદરની જેલને તાળા મારવા પડયા હતા. <br /> <br />તથા કોંગ્રેસના રાજમાં પોરબંદર શરૂ થાય છે તેવા બોર્ડ જોયા છે. <br /> <br />ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે <br /> <br />ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાતના પેરા-એથ્લેટ્સનું <br /> <br />સન્માન કરાશે. તથા ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે. તેમજ ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં નવા વાડજ, ઘાટલોડીયા અને <br /> <br />થલતેજ વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે. <br /> <br />અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે <br /> <br /> <br />થલતેજમાં બનાવવામાં આવેલી સ્માર્ટ શાળા 2000 વારની જગ્યામાં બનાવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ તમામ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરની <br /> <br />નારણપુરા શાળા નંબર-6, ઘાટલોડિયા શાળા નંબર-2, વાડજની શાળા નંબર-2 અને થલતેજની શાળા નંબર-2નું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલે રાત્રે 11 વાગ્યે <br /> <br />અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું એરપોર્ટ પર સંગઠનના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ગૃહમંત્રી આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.