રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર પાણશીણા નજીક કુરિયર વાન આગળ જતાં વાહન સાથે અથડાતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. જેમાં <br />મોડી રાત્રે લીંબડી હાઇવે લોહીયાળ બન્યો હતો. <br /> <br />અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત <br /> <br />ઉલ્લેખનીય છે કે પાણશીણા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ વિગતો નોંધી વધુ તપાસ પાણશીણા પોલીસે હાથ <br /> <br />ધરી છે. જેમાં લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. કુરિયર વાહન ડમ્પર પાછળ <br /> <br />ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ખાતા બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. <br /> <br />પાણશીણા પોલીસે વધુ તપાસ હાથ ધરી <br /> <br />કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો 1 વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને <br /> <br />પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.