Surprise Me!

વિવિધ સંતો દ્વારા આનંદ સ્વરૂપ સ્વામીના નિવેદનને વખોડવામાં આવ્યું

2022-09-06 4 Dailymotion

આનંદ સ્વરૂપ સ્વામી દ્વારા મહાદેવ વિષેના બફાટ નિવેદનને લઇ સાધુ સંત સમાજમાં પણ આક્રોશ ફેલાયો છે. જેમાં વિવિધ સંતો દ્વારા આનંદ સ્વરૂપ સ્વામીના નિવેદનને વખોડવામાં <br /> <br />આવ્યું છે. તેમાં ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી સ્વામીએ ઘટનાની નિંદા કરી વખોડી છે. <br /> <br />રાજકોટ સ્નાતન ધર્મના આગેવાન નરેન્દ્રબાપુ સોલંકીએ ટીકા કરી <br /> <br />ઉલ્લેખનીય છે કે એસ.પી સ્વામીએ આનંદ સ્વરૂપ સ્વામીએ કરેલ ટિપ્પણીએ સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે. જેમાં નિવેદનને લઈ સમગ્ર હિન્દુ સમાજને ઠેસ પહોંચી છે. <br /> <br />ધર્મચારીઓને આવી અવારનવાર થઈ રહેલી ટિપ્પણીઓ મુદ્દે વિચારવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. તથા સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સંપ્રદાયમાંથી કોઈ પણ કઈ <br /> <br />ટિપ્પણીઓ કરે ત્યારે કોઈના વાંકે મૂળ સંપ્રદાયને પણ સાંભળવું પડે છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સાધુ આવું બોલ્યા નથી અને અમારા મંદિરોમાં મહાદેવનું સ્થાપન છે અને <br /> <br />રોજ મહાદેવનું પૂજન કરવામાં આવે છે. <br /> <br />વડતાલ મંદિરે બફાટ નિવેદનને લઇ વિવાદમાં ઝંપલાવ્યું <br /> <br />રાજકોટ સ્નાતન ધર્મ આગેવાન નરેન્દ્રબાપુ સોલંકી તથા આપા ગીગા ઓટલો મહંત સનાતન મહામંડલેશ્વર મીડિયા સામે આવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે મારે આ સ્વામીને અને <br /> <br />સોખડા સંપ્રદાયના લોકો હું કહું છું ભગવાનના ભગવાન બનવાની કોશિશ ન કરો. આવી ટીપ્પણી કરી તેને સંપ્રદાયમાંથી કાઢી મુકવા જોઈએ. આ વિશે પગલાં લેવામાં નહિ આવે તો સાધુ <br /> <br />સંતોની બેઠક થશે. તેમજ આનંદસાગર સ્વામીના મહાદેવ વિષે બફાટના મુદ્દે વડતાલ મંદિરે પણ વિવાદમાં ઝંપલાવ્યું છે. તેમાં અખિલ ભારતીય સાધુસમાજના પ્રમુખ નૌતમસ્વામીનું <br /> <br />નિવેદન છે કે આ પ્રકારનો વાણીવિલાસ હિન્દુસમાજ નહીં ચલાવે. સ્વામિનારાયણ ભગવાને જુનાગઢમાં મહાદેવની સ્થાપના કરી હતી. તથા આનંદસાગર સ્વામીએ સંપ્રદાયને લાંછન <br /> <br />લગાડ્યું છે.

Buy Now on CodeCanyon