ગુજરાતમાં ભાદરવી પૂનમને લઈ માઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં મહેસાણા અંબાજી હાઇવે માઇભક્તોથી ઉભરાયો છે. તથા માઇભક્તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે માં <br /> <br />અંબાના દર્શન માટે ઉમટ્યા છે. તેમજ પગપાળા અથવા સંઘના માધ્યમથી ભક્તો માં અંબાના દર્શન માટે જઇ રહ્યાં છે. <br /> <br />પગપાળા અથવા સંઘના માધ્યમથી ભક્તો માં અંબાના દર્શન માટે ઉમટ્યા <br /> <br />ઉલ્લેખનીય છે કે મહેસાણા અંબાજી હાઇવે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે. જેમાં ગુજરાતના ખૂણેખૂણેથી માઇભક્તો માં અંબાના દર્શન માટે આતુર બન્યા છે. તથા માઇ ભક્તોની સેવામાં <br /> <br />અનેક સેવા કેમ્પો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં સુવા, જમવા સાથે મેડિકલ કેમ્પો દ્વારા અંબાના દ્વાર સુધી સુવિધાઓ આપી રહ્યા છે. ભાદરવી પૂનમનું શક્તિપીઠ અંબાજીમાં ખૂબ વિષેશ <br /> <br />મહત્વ સંકળાયેલું છે. માં અંબાનો પ્રાગટય દિવસ એટલે જ ભાદરવી પૂનમ. <br /> <br />મહેસાણા અંબાજી હાઇવે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો <br /> <br />ગુજરાતના ખૂણેખૂણેથી માઇ ભક્તો માં અંબાના પવનકરી દર્શન માટે અધીરા બન્યા છે. મહેસાણા અંબાજી હાઇવે પર માનવ મહેરામણ ઉમટયું છે. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો માં અંબા <br /> <br />ના ખોળે પહોંચવા ગુજરાતના ખૂણેખૂણેથી અંબાજીની વાટ પકડી છે. મહેસાણા અંબાજી હાઇવે પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા તો કોઈ સંઘ દ્વારા પહોંચી રહ્યા છે. આ તમામ <br /> <br />પદયાત્રીઓની સેવામાં અનેક સેવાભાવી લોકો, સંસ્થાઓ સેવાકીય કેમ્પ અવિરત 24 કલાક શરૂ કર્યા છે. રહેવા, જમવા સાથે આરામ તેમજ મેડિકલ સુધીની સેવા પૂરી પડતા સેવા કેમ્પો <br /> <br />કાર્યરત છે. પગપાળા ચાલતા જતા પદયાત્રીઓની સેવામાં તંત્ર પણ ખડેપગે જોવા મળી રહ્યું છે.