સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અદભૂત લાઈટિંગ નજારો જોઈ શ્રદ્ધાળુઓ પ્રભાવિત થઈ રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરને <br /> <br />અદભૂત લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરને વિભિન્ન પ્રકારની રંગબેરંગી લાઈટિંગથી શણગાર કરવામાં આવ્યો છે જેથી આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અંબાજી મંદિર <br /> <br />પરિસરમાં આવતા પહેલા અનોખી લાઈટિંગ ટર્નલ બનાવવામાં આવી છે. ટર્નલમાંથી પસાર થતા પદયાત્રીઓ જાણે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોય એવો અનુભવ કરી રહ્યા છે. માં <br /> <br />જગદંબાના ચરણોમાં શીશ નમાવવા લાખો શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને સુચારુ વ્યવસ્થાપન જોઈને પ્રભાવિત થઈ રહ્યા છે.