Surprise Me!

અમિત શાહ રાજસ્થાનના જેસલમેરથી સીધા અમદાવાદ આવી પહોંચ્યા

2022-09-11 195 Dailymotion

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજસ્થાનના જેસલમેરથી સીધા અમદાવાદ આવી પહોંચ્યા છે. જેમાં સપ્ટેમ્બરમાં સળંગ બીજા સપ્તાહે તેઓ ગુજરાતમાં છે. ગત સપ્તાહના રવિવારે <br /> <br />અમદાવાદમાં લોકાપર્ણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. 11 સપ્ટેમ્બરને રવિવારે તેઓ સૌરાષ્ટ્રના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. <br /> <br />હનુમાનજી મહારાજની પ્રતિમાનું લોકાપર્ણ કરશે <br /> <br />ઉલ્લેખનીય છે કે આજે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. જેમાં અમર ડેરીમાં અમિત શાહનો પરિસંવાદ કાર્યક્રમ યોજાશે. <br />તથા સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. તેમજ પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, જગદીશ પંચાલ ઉપસ્થિત રહેશે. તથા અમર હની, મિનિરલ મીક્ષચર પ્રોડક્ટનું <br /> <br />અમિત શાહ લોન્ચિંગ કરશે. <br /> <br />અમર ડેરીમાં અમિત શાહનો પરિસંવાદ કાર્યક્રમ <br /> <br />અમરેલીમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રવિવારે સહકાર પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે 11- 30 કલાકે અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી <br /> <br />સંસ્થાઓની એન્યુઅલ જનરલ મિટિંગનું પણ આયોજન થયુ. આ પરિસંવાદ અને વાર્ષિક બેઠકને અમિત શાહ સંબધશે. અમરેલીથી તેઓ સોમનાથ ખાતે બપોરે ત્રણેક વાગ્યે ભગવાન <br /> <br />સોમનાથ દાદાના દર્શન અને પૂજા કરશે. તેમજ સોમનાથ વેબ પોર્ટલનું લોન્ચિંગ પણ કરશે. ત્યારબાદ સમુદ્ર કિનારે સમુદ્ર દર્શન પથ ઉપર મારૂતિ હાટની 262 દૂકાનો તેમજ 16 ફુટ ઊંચી <br /> <br />હનુમાનજી મહારાજની પ્રતિમાનું લોકાપર્ણ કરશે. બાદમાં તેઓ અમદાવાદ પરત ફરશે. જ્યાં સાયન્સ સિટીમાં ચાલી રહેલી સેન્ટર- સ્ટેટ સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવના <br /> <br />સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશ.

Buy Now on CodeCanyon