Surprise Me!

દેશના 591 જિલ્લામાં પ્રવાસ કરીને અમરેલી આવ્યો: અમિત શાહ

2022-09-11 246 Dailymotion

આજે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યાં છે. જેમાં અમર ડેરીમાં અમિત શાહનો પરિસંવાદ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. <br />તથા સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં અમિત શાહે સંબોધન કર્યું છે. જેમાં પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, જગદીશ પંચાલ ઉપસ્થિત છે. <br /> <br />સહકારી સંસ્થામાં સંઘાણીનું કામ પ્રશંસનીય <br /> <br />અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાને સંબોધિત પ્રસંગે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું છે કે હું દેશના 591 જિલ્લામાં પ્રવાસ <br /> <br />કરીને અમરેલી આવ્યો છું. મારી સામાન્ય સભામાં એક વખત ફાઈલો ઉછળી હતી. શાંતિથી લોકો ભાષણ સાંભળે એવી આ પહેલી સામાન્ય સભા જોઈ છે. તેમજ અમરેલી જિલ્લાએ દેશને <br /> <br />અનેક સહકારી આગેવાનો આપ્યા છે. અહીં દિલીપ સંઘાણીને સર્ટિફીકટ આપવા આવ્યો છું. તેમાં સહકારથી સમૃદ્ધિ PM મોદીનો સંકલ્પ છે. પરસોત્તમ રૂપાલાએ સહકાર મંત્રાલય શરૂ <br /> <br />કરવાની સલાહ આપેલી. તેથી રૂપાલાજીએ PMને સહકાર મંત્રાલય અંગે સલાહ આપેલી. તેમજ સહકારી સંસ્થામાં સંઘાણીનું કામ પ્રશંસનીય છે. શાહે વધુ જણાવ્યું હતુ કે દેશમાં ખેડૂતોની <br /> <br />ચિંતા કરનારી સરકાર છે. તથા દુનિયામાં મધ ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે. તથા કોંગ્રેસે તમામ ડેરીઓને નિષ્ફળ બનાવી હતી. <br /> <br />સોમનાથ વેબ પોર્ટલનું લોન્ચિંગ પણ કરશે <br /> <br />અમરેલીમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રવિવારે સહકાર પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે 11- 30 કલાકે અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી <br /> <br />સંસ્થાઓની એન્યુઅલ જનરલ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ અમરેલીથી તેઓ સોમનાથ ખાતે બપોરે ત્રણેક વાગ્યે ભગવાન સોમનાથ દાદાના દર્શન અને પૂજા કરશે. <br /> <br />તેમજ સોમનાથ વેબ પોર્ટલનું લોન્ચિંગ પણ કરશે. ત્યારબાદ સમુદ્ર કિનારે સમુદ્ર દર્શન પથ ઉપર મારૂતિ હાટની 262 દૂકાનો તેમજ 16 ફુટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાનું લોકાપર્ણ <br /> <br />કરશે. બાદમાં તેઓ અમદાવાદ પરત ફરશે. જ્યાં સાયન્સ સિટીમાં ચાલી રહેલી સેન્ટર- સ્ટેટ સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશ.

Buy Now on CodeCanyon