નવરાત્રિ શરૂ થતાં જ PM મોદીનો ગુજરાત પ્રવાસ શરૂ થશે. જેમાં PM મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભાને સંબોધશે. તેમાં 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે PM મોદી <br /> <br />રહેશે. તથા 11 ઓકટોબરે રાજકોટના જામકંડોરણાનો પ્રવાસ કરશે. તેમજ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. <br /> <br />PM મોદી 29, 30 સપ્ટેમ્બર અને 9થી 11 ઓકટોબરે ગુજરાત આવશે. જેમાં 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો પ્રવાસ કરશે. તથા 9 ઓક્ટોબરે મોડાસામાં <br /> <br />સંભવિત પ્રવાસ કરશે. 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે આવશે તથા 11 ઓક્ટોબરે રાજકોટના જામ કંડોરણાના પ્રવાસે જશે.