કુદરતી આફતો સાથે ખેડૂતોને ખૂબ જૂનો સંબંધ છે. માંડ માંડ વરસાદ વરસ્યો અને મલકાતા ચહેરે ખેડૂતોએ પોતાના ખેતરો તૈયાર કરી મોંઘા ભાવનું તમાકુનું ધરૂ લાવી રોપણી કરાવી છે. <br /> <br />રાત દિવસ મહા મહેનત કરી ખેતરો તૈયાર કર્યા છે ચોમાસાના પાણીની અસર જમીનમાં હજુ પૂરેપૂરી સુકાઈ નથી ત્યાં તો તમાકુના પાન કોરી ખાય તેવી ઇયળો ખેતરમાં પડતા ખેડૂતોના <br /> <br />માથે વધુ એક વખત મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. <br /> <br />વારંવાર કુદરતી આફતોમાં લપેટાતો જગતનો તાત <br /> <br />એક જ રાતમાં મસ મોટા ખેતરોમાંથી ઇયળો તમાકુની રોપણીનો દાટ વાળી રહી છે. માંડ કુદરતી આફતોમાંથી બહાર આવેલા ખેડૂતો જણાવે છે કે મુસીબતો અમારો પીછો છોડવાનું નામ <br /> <br />નથી લેતી. જેમાં ચોમાસા દરમિયાન કાગડોળે વરસાદની રાહ જોઈ પરંતુ જોઈએ તેટલો વરસાદ ના વરસતા અને બોર-કૂવામાં પાણીના સ્તરનીચા જતા આખે આખુ ચોમાસુ સીઝન <br /> <br />બરબાદ થયા બાદ છેલ્લે છેલ્લે કુદરતે સામે જોયું અને વાવણી લાયક વરસાદ વરસ્યો ત્યારે હવે વધુ એક વખત ખેતી બરબાદ કરવા માટે ઇયળનું આગમન થયું છે. <br /> <br />વડોદરા જિલ્લામાં ખેડૂતોના માથે ઈયળ રૂપી આફત આવી <br /> <br />ડેસર તાલુકાના જુના સિહોરા, નવા સિહોરા, ગોરસણ, પ્રતાપપુરા, રાજપુર સહિત પંથકમાં તમાકુમાં ઇયળોએ આંતક મચાવ્યો છે. ખેડૂતો કંઈ સમજે તે પહેલા આખુ ખેતર સફાચટ કરી નાખે <br /> <br />છે. જેમાં વગર વરસાદે દિવેલાનો પાક સુકાઈ જવા પામ્યો હતો. તે ખેતરમાંથી ખેડૂતોએ કાઢી નાંખીને ચોમાસાના છેલ્લા વરસાદે મોંઘા ભાવનું તમાકુનું ધરૂ લાવી રોપણી કરી તે પણ <br /> <br />ઈયળોએ દાટ વાળ્યો છે. જેમાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.