Surprise Me!

સુરતમાં સુમુલ ડેરીના દૂધ વાહનને ઘેરી પથ્થરમારો કર્યો

2022-09-20 1,810 Dailymotion

સુમુલ અને ચોર્યાસીના તમામ સેન્ટરો પરથી રાબેતા મુજબ દૂધનું વેચાણ ચાલુ રહેશે. તેમજ દરેક સેન્ટર પરથી પર્યાપ્ત માત્રામાં દૂધનો જથ્થો મળી રહેશે. દૂધ વેચાણ બંધ હોવાની વાતને <br /> <br />સુમુલના ચેરમેન માનસિંહ પટેલે ફગાવી દીધી હતી. સુમુલ ડેરીની સાથે ચોર્યાસી ડેરી પણ દૂધનું વેચાણ ચાલું રાખશે. ગ્રાહકોને રાબેતા મુજબ દૂધ મળી રહેશે તેમ ચોર્યાસી ડેરીએ પણ <br /> <br />જણાવ્યું હતું. જોકે જે લોકોના ઘરે માલધારીઓ દૂધ પહોંચાડે છે, તેઓના ઘરે બુધવારે દૂધ નહીં આવે. <br /> <br /> <br />બીજી તરફ સુરત જિલ્લા અને શહેરના માલધારીઓ અંદાજિત 1 લાખ લિટર જેટલું દૂધ સરકારી હોસ્પિટલના દર્દીઓ, ગરીબો અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે વિતરણ કરી અનોખી રીતે <br /> <br />વિરોધ કરશે. જોકે, મોટાભાગના માલધારીઓ ગ્રાહકોને સીધેસીધું છૂટક દૂધનું વેચાણ કરતાં હોવાથી ડેરીના દૂધની આવક કોઈ અસર થશે નહીં. પરંતુ માલધારીઓ પાસેથી દૂધ ખરીદતા <br /> <br />ગ્રાહકોને હાલાકી ભોગવવી પડશે. <br /> <br /> સચીન અને પાંડેસરામાં મોડી સાંજ સુમુલ ડેરીના દૂધ વાહનને અટકાવાઇ <br /> <br />માલધારીઓએ 21મીએ દૂધનું વિતરણ નહીં કરવાની જાહેરાત કરી હતી. પરંતુ <br /> <br />20મીએ સાંજથી જ સચિન અને પાંડેસરા વિસ્તારમાં માલધારીઓએ સુમુલ ડેરીના દૂધ વાહનને ઘેરી પથ્થરમારો કરી વાહનમાંથી હવા કાઢી નાખી હતી. એટલું જ નહીં દૂધ વેચાણના <br /> <br />કાઉન્ટર પર ઊભેલા દૂધવાહનોના ચાલકો સાથે પણ જીભાજોડી કરી હતી. <br /> <br />દૂધના વાહનોને અટકાવાતા સમુલ ડેરીના જવાબદાર અધિકારીઓએ દોડતાં થઈ ગયા હતા. <br /> <br /> <br /> તથા સુમુલ ડેરીના દૂધ કાઉન્ટરની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ <br /> <br /> કરી છે. જેમાં <br /> <br />21મીને બુધવારે માલધારીઓએ દૂધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે માલધારીઓ દ્વારા સુમુલ ડેરીના દૂધ વિતરણ કાઉન્ટર એજન્સી પર હુમલો કરી નુકશાન પહોંચાડવામાં <br /> <br />આવે તેની સંભાવના છે ત્યારે સુમુલ ડેરીના દૂધ વેચાણ કેન્દ્રોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા સુમુલ ડેરીએ માંગણી કરી છે.

Buy Now on CodeCanyon