આણંદ ખાતે આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના નવા કાર્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ <br /> <br />સી.આર.પાટીલ દ્વારા પેજ સમિતિ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું હતુ. જેમાં તેઓએ નામ લીધા વગર જ આમ આદમી પાર્ટીના કાર્યાલયને નિશાન બનાવી અને જણાવ્યું <br /> <br />કે અન્ય પાર્ટીના કાર્યાલય એટલા માટે જ નિર્માણ નથી થતા કારણ કે એમની પાર્ટીના કાર્યકર્તાઓના ખિસ્સામાં પૈસા જાય છે. <br /> <br /> <br />ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, "અન્ય કોઈ પાર્ટીની આપણે વાત નથી કરવી પણ તે એટલા માટે જ કાર્યાલય નિર્માણ નથી થતા, કારણ કે પૈસા સીધા એમની <br /> <br />પાર્ટીના કાર્યકર્તાઓના ખીસામાં જાય છે. અહીં તો બેન્ક એકાઉન્ટમાં જાય છે, બાંધકામ થાય છે. આણંદ આવેલા સી.આર. પાટીલ ચૂંટણી સમયે ટિકિટ માગવા ટોળામાં ન આવવા કાર્યકરોને <br /> <br />કડક સુચના આપી હતી. બીજી તરફ કોઈપણ કાર્યકરને ટિકિટ આપે તેને જીતાડવા કામે લાગી જવા આદેશ આપ્યો હતો.