એક એવી ગરબી કે જ્યાં દીકરીઓના નામ નોંધતા પહેલા દરગાહે શ્રીફળ વધેરવામાં આવે છે. જુનાગઢની ચામુંડા ગરબી મંડળમાં કોમી એખલાસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. આપણે <br /> <br />કોમીએકતાના કિસ્સા ઘણી જગ્યાએ જોયા છે. જેમાં રક્ષાબંધન પર્વ પર હિન્દુ બહેન તેના મુસ્લિમભાઈને રાખડી બાંધે છે. ગણેશ સ્થાપના સમયે એક મુસ્લિમભાઈ પોતે પોતાના ઘરે <br /> <br />માતાજીનું મઢ સ્થાપિત કર્યું છે અને દર વર્ષે ગણપતિ બાપાનું પણ સ્થાપન કરે છે. અને હવે માતાની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ ત્યારે સૌ કોઈ માતાની આરાધનામાં લીન થઈ <br /> <br />જતાં હોય છે. <br /> <br />60 વર્ષથી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે <br /> <br />જુનાગઢનું ચામુંડા ગરબી મંડળ એક એવું મંડળ છે કે જેમાં હિન્દુ મુસ્લિમ સૌ બાળાઓ સાથે મળીને એક જ મંચ પર રાસ ગરબા રમે છે. જુનાગઢ શહેરની પ્રખ્યાત એવી નરસિંહ મહેતા ચોરા <br /> <br />પાસે આવેલ ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાતી ગરબીમાં હિન્દુ-મુસ્લીમ બાળાઓનાં વિશિષ્ટ પ્રકારનાં ભકિતભાવ પૂર્વકનાં રાસ ગરબા નિહાળવા એ અનન્ય લ્હાવો છે અને બાળાઓનાં <br /> <br />રાસ નિહાળી ઉપસ્થિત જન સમુદાય ભકિતભાવમાં ગરકાવ બની જતા હોય છે. <br /> <br />હિન્દુ-મુસ્લિમની 70 બાળાઓ રાસ ગરબા રમે છે <br /> <br />છેલ્લા 60 વર્ષથી અહીં પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અહીનો ભુવા રાસ ખૂબ જ પ્રચલિત છે. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ અહી રાસ ગરબા જોવા માટે <br /> <br />દૂર દૂરથી ઉમટી પડે છે. અહી હાલમાં કુલ 70 બાળાઓ રાસ ગરબા રમી રહી છે જેમાં 35 બાળાઓ હિન્દુ અને 35 બાળાઓ મુસ્લિમ છે. અહી ભાગ લેનાર દરેક દીકરીઓ સામાન્ય <br /> <br />પરિવારમાંથી આવે છે. મોટા ભાગની દીકરીઓ સવારથી સાંજ સુધી કામ પર જાય છે અને ત્યાર બાદ સાંજે ગરબામાં જોડાય છે.