Surprise Me!

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે યાત્રા યોજી

2022-09-28 3,411 Dailymotion

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ યાત્રાઓ યોજી રહી છે. જેમાં રાજકોટથી કોંગ્રેસ દ્વારા શરૂ થયેલી કોંગ્રેસની માતા કે દ્વાર યાત્રા કાગવડ ખોડલધામ પહોંચી હતી. જ્યા કોંગ્રેસના <br /> <br />આમંત્રણને માન આપીને ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગ્રણી નરેશ પટેલે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, યાત્રાના આયોજક લલિત કગથરા, યાત્રામાં જોડયેલા રાજ્યસભાના <br /> <br />સાંસદ શક્તિસિંહ ગોહિલ, ઋત્વિક મકવાણા, લલિત વસોયા, અમરીશ ડેર સહિતનાનું સ્વાગત કર્યું હતું. <br /> <br />વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે યાત્રાઓ યોજી <br /> <br />સ્વાગત બાદ તમામ કોંગ્રેસ આગેવાનોએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા હતા. જ્યા નરેશ પટેલે તમામને ઉપરણા ઓઢાડી સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ કોંગ્રેસ નેતાઓએ નરેશ <br /> <br />પટેલ સાથે 30 મિનિટ સુધી બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જગદીશ ઠાકોર, લલિત કગથરા, રામ કિશન ઓઝા, શક્તિસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા. બેઠક બાદ યાત્રાના <br /> <br />આયોજક લલિતભાઈ કગઠરાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે માતાજીના આશીર્વાદ સાથે નરેશ પટેલના આશીર્વાદ લેવા પણ આવ્યા છીએ અને અમને આશીર્વાદ મલ્યા <br /> <br />પણ છે. <br /> <br />કોંગ્રેસ આગેવાનોએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા <br /> <br />બંધ બારણે બેઠક બાદ નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે ખોડલધામ અઢાર વર્ણની આસ્થાનું કેન્દ્ર છે. તથા માતાજી ઉપર તમામને શ્રદ્ધા છે માટે તમામ વર્ણના લોકો અહીં <br /> <br />આવે છે. કોંગ્રેસના આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું એટલે એમનું સ્વાગત કરવા માટે હું ઉપસ્થિત રહ્યો હતો, જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી કે ટિકિટની વાત છે માત્ર પાટીદાર સમાજ જ <br /> <br />નહીં પરંતુ દરેક સમાજને પોતાના હકની ટિકિટ માંગવાનો અધિકાર છે. નરેશભાઈએ એમ ઉમેર્યું કે વસ્તી મુજબ દરેક વ્યક્તિ કે સમાજ પોતાના માટે ટિકિટ માંગી શકે છે. કોંગ્રેસના <br /> <br />આગેવાનોને આશીર્વાદની વાત છે ત્યાં સુધી માતાજીના સૌને આશીર્વાદ મળતા જ રહે છે. લલિત કગથરાના આશીર્વાદ અંગે નરેશ પટેલે જણાવ્યું કે તેઓ પાટીદાર નેતા અને ધારાસભ્ય <br /> <br />છે. માટે સમાજના આગેવાનો પાસે આશીર્વાદ લેવા આવે છે અને અમે આપ્યો પણ છીએ.

Buy Now on CodeCanyon